ઘરની આજુબાજુ વૃક્ષો કે ફૂલછોડ ઊગાડવાથી વાતાવરણ શુદ્ધ રહે છે. તમે તેની સાથે સાથે તમારા ઘરને પણ નેચરલ ટચ આપી શકો છો. તમે ઘરના ઇન્ટિરીયરને ઇકો ફ્રેન્ડલી બનાવી શકો છો. તો ચાલો ઘરને ઇકો ફ્રેન્ડલી કેવી રીતે બનાવીએ તે વિશે જાણીયે.
જો તમે તમારા ઘરની સજાવટમાં કોઇપણ કસર બાકી ન રાખવા માગતા હો તો ઘરની સજાવટમાં કુદરતી સજાવટનું પણ ધ્યાન રાખવું. તમારા ઘરને ઇકો ફ્રેન્ડલી બનાવવા પર ફોકસ કરો. તેના માટે તમારે વારે ખર્ચ કરવાની જરૂર પડશે નહીં. ઓછા બજેટમાં પણ તમે તમારા ઘરને ઇકો ફ્રેન્ડલી બનાવી શકો છો.

કેમિકલ ફ્રી પેઇન્ટ

જો દિવાલ પર સુંદર કલર હોય તો આખુ ઘર સુંદર દેખાય છે. લોકો પોતાના ઘરને પેઇન્ટ કરાવવા માટે કેમિકલ બેઝ્ડ કલર પર પસંદગી ઊતારતા હોય છે. આ કલરનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમાં ભળેલા કેમિકલ હવામાં ભળીને તેને બગાડે કરે છે. ઘરમાં રહેતા લોકો જ્યારે તે દુષિત હવામાં શ્વાસ લે છે તો તેમને અનેક સ્વાસ્થ્ય સંબધિત બિમારીઓનો સામનો કરવો પડે છે. તેના બદલે ઇકો ફ્રેન્ડલી પેઇન્ટનો ઉપયોગ કરો. તેનાથી ઘરની હવા પણ સ્વચ્છ રહે છે અને દિવાલો પર સુંદર દેખાય છે.

યોગ્ય લાઇટીંગ

ઘરના ઇન્ટિરીયરમાં લાઇટીંગનું પણ મહત્વ રહેલું છે. જો લાઇટીંગ યોગ્ય ન હોય તો સ્વભાવ પર તેની અસર થતી જોવા મળે છે. જો તમે પૈસા બચાવવાની સાથે સાથે ઘરને સુંદર અને ઇકો ફ્રેન્ડલી બનાવવા ઇચ્છતા હો તો કુદરતી પ્રકાશની વ્યવસ્થા ઘરમાં ઊભી કરી શકો તેવો પ્રયત્ન કરો. ગરમી કે તડકો તમારા ઘરમાં આવે તેવું ન ઇચ્છતા હો તો આછા રંગના પડદા બારી પર લગાવી શકો છો. તેનાથી કુદરતી પ્રકાશ ઘરમાં આવશે અને તમને ગરમીનો અનુભવ પણ થશે નહીં. નોર્મલ બલ્બ કે ટ્યૂબલાઇડના બદલે સીએફએલ લાઇટીંગ લગાવી શકો છો. તેનાથી તમે 66 ટકા એનર્જી બચાવી શકો છો.

ઉપયોગ કરો

– તમારા ઘરમાં વધારેમાં વધારે કુદરતી વસ્તુઓને સ્થાન આપો. ઘરમાં ઉપયોગમાં લેવાતા ફર્નીચરમાં બેંબૂને સ્થાન આપો. બેંબૂને દિવાલ પર પણ લગાવી શકાય છે. તે જોવામાં પણ સુંદર લાગે છે.
– જૂની અને નકામી વસ્તુઓને નવો આકાર આપીને ઘરને સુંદર રીતે સજાવી શકાય છે. તેનાથી જૂની વસ્તુઓનો સારો ઉપયોગ પણ થશે. જૂની વસ્તુઓ ફરીથી ઉપયોગમાં લેવાશે.

Loading

Spread the love

Leave a Comment